અંતરને અજવાળે પુસ્તક
સંશય મનના ટાળે પુસ્તક
સંશય મનના ટાળે પુસ્તક
અગમ અગોચર અલકમલકનું
ઉજળું ભાવિ ભાળે પુસ્તક
શાંત ચિત્તે વાંચો મનવા
મનને પાડે થાળે પુસ્તક
સદવિચારથી સજ્જ કરે ને
કુ-વિચારો બાળે પુસ્તક
સંકટ સમયે સાચો સાથી
રાખો મનના માળે પુસ્તક
-દિનેશ પરમાર
(વિશ્વ પુસ્તક દિન નિમિતે તા. 23/04/2023)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો